આ બ્લોગ પર મારી આ પહેલી ગઝલ છે
ગુજરાતી વ્યાકરણ પ્રમાણે કદાચ ગઝલ માં ભૂલ હોઈ શકે પરંતુ ગઝલ લખતી વખતે મેં વ્યાકરણ કરતા ભાવનાઓ ને વધારે મહત્વ આપ્યું છે
કોઈ વાચક ને જો ભૂલ નજર માં આવે તો ધ્યાન દોરવા મહેરબાની.
આ સાથે ગઝલ ને અનુરૂપ ફોટો છે તે મારા એક ખુબજ અંગત મિત્ર બીરેન દ્વારા લેવાયેલ છે.
વ્યવસાયે તો તે અમદાવાદ માં torrent power માં જોબ કરે છે પણ photography પણ અદભૂત કરે છે
જેના હૃદય માં ઈશ્વર વસેલ હોય છે ;
તે થોડા માથા ફરેલ હોય છે,
સદાય ઠંડુ સ્મિત રમતું હોઠ પર ;
દિલ ભલે એમના બળેલ હોય છે,
જીંદગીમાં હોય ઉત્સવ પ્રત્યેક ક્ષણ ;
ને મૃત્યુ થી યારી કરેલ હોય છે,
હો ગઝલ ની પંક્તિ કે પ્યાલી શરાબ ની
હંમેશા માથાબોળ ડૂબેલ હોય છે
જય સ્વામીનારાયણ ધીરજ સાહેબ !
આ ગઝલ માં માથા ફરેલા શબદ વિષે તમારો અભિપ્રાય જણાવશો
ભગવાન જેના હર્દય માં હોય તે ક્ષમાશીલ હોય છે.
બ્લોગ માં તમે યોગીહાર્ડ્યાકમળ આકૃતિ મૂકી છે તે બદલ આભિનંદન
જય સ્વામીનારાયણ
માથાફરેલ એટલે જગત તેમને ગાંડા જેવા ગણતા હોય છે
આવા ભક્તો પોતાની મસ્તી માં મસ્ત હોય છે
ઉદાહરણ: મીરાં, તુકારામ, કબીર
આવા વ્યક્તિત્વોનું એક જ ગાન હોય છે…
“જિંદગીનાં મેં દિવસો જ ખર્ચ્યા કર્યાં,
જિંદગીમાં બીજી ક્યાં કમાણી હતી…”
-બેફામ
આ વ્યક્તિત્વો પાસે એમાં દિવસો જ એક કમાણી, અને એ ખર્ચે છે એમાં ભાઈબંધ એવા ભગવાન માટે…
ખુબ સરસ લખાણ ધીરજભાઈ, અને મારા ઉલ્લેખ બદલ આભાર 🙂
બીરેન